ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 : અકસ્માતમાં ખેડૂતને મળશે ₹6 લાખ સુધીની સહાય, જાણો સંપૂર્ણ માહિતી | Farmer Accident Insurance Scheme

Farmer Accident Insurance Scheme : ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 હેઠળ ખેડૂત અથવા તેના કુટુંબને અકસ્માતમાં મોત કે અશક્તતા થાય તો સરકાર તરફથી ₹6 લાખ સુધીની નાણાકીય સહાય મળે છે. અરજી કરવાની સંપૂર્ણ માહિતી અહીં જાણો.

રાજય સરકારશ્રી દ્વારા અમલી ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજના સબબ તારીખ 01/04/2025 કે ત્યાર બાદ અકસ્માતથી મરણ જનાર ખેડુત ખાતેદારશ્રીઓને ₹4 લાખ સહાય આપવાનું નકકી કરવામાં આવેલ છે તથા જીલ્લા પંચાયત દ્વારા ₹2 લાખ એમ કુલ રૂ ₹6 લાખ સહાય મળવાપાત્ર થશે.

Gujarat Farmer Accident Scheme : ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 શું છે?

ખેડૂતોના પરિવારને સુરક્ષા આપવા માટે સરકાર દ્વારા “ખેડૂત અકસ્માત વીમા યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતને અકસ્માતના કારણે મોત થાય તો તેમના પરિવારને નાણાકીય સહાય આપવામાં આવે છે.

Gujarat Farmer Accident Scheme : યોજનાં મુખ્ય લાભો શું છે ?

✅ ખેડુત ખાતેદાર અકસ્માત થવા પર પરિવારને ₹4,00,000 ની સહાય
✅ જિલ્લા પંચાયત દ્વારા ₹2,00,000 સુધીની સહાય
✅ ખેડૂતના કુટુંબ માટે આર્થિક સુરક્ષા
✅ કોઈપણ પ્રકારની કુદરતી કે અન્ય અકસ્માતમાં સહાય.

આ પણ વાંચો : Senior Citizen Scheme 2025: વૃધ્ધોને મળશે દર મહિને ₹20,000, જાણો સંપૂર્ણ માહિતી

ખેડૂત અકસ્માત વીમા યોજના માટે પાત્રતા શું છે ?(Eligibility):

  • યોજના માત્ર ખેડૂતો અને તેમના કુટુંબ માટે છે.
  • અરજદારની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • નોંધાયેલ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ.

ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

📌 આધાર કાર્ડ
📌 ખેતીના પુરાવા (7/12, ખેતી જમીનનો દાખલો)
📌 બેંક પાસબુક
📌 અકસ્માતની FIR અથવા પોલીસ રિપોર્ટ
📌 મૃત્યુ પ્રમાણપત્ર (જો મોત થયું હોય તો)

Also Read :  PM Kisan Yojana: ટૂંક સમયમાં આવશે 21મો હપ્તો, જાણો સંપૂર્ણ માહિતી અને e-KYC કરવાની પ્રક્રિયા

Farmer Accident Insurance Scheme માટે અરજી કરવાની પ્રક્રિયા :

  1. નજીકની જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી અથવા તાલુકા કચેરીમાં સંપર્ક કરવો.
  2. જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ ભરવું.
  3. તમામ ચકાસણી બાદ સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
  4. વધુ વિગત અને અરજીફોર્મના નમૂના માટે અહીં ક્લિક કરો.

ખેડૂત અકસ્માત વીમા યોજના 2025 ખેડૂતો અને તેમના પરિવારને સુરક્ષા આપવા માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. જો તમે ખેડૂત છો તો તરત જ આ યોજનાનો લાભ બહોળા પ્રમાણમાં ખેડૂતોને મળી રહે તે માટે આ આર્ટીકલને તમારા ગામના ગ્રુપમાં વધુ ને વધુ પ્રમાણમાં શેર કરો.

Disclaimer: આ લેખમાં આપેલી માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. યોજનાની ચોક્કસ શરતો, વ્યાજદર અને અરજી પ્રક્રિયા જાણવા માટે સત્તાવાર સરકારની વેબસાઈટ અથવા નજીકની ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.

Leave a Comment